આદરણીય નવસારી કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન 2023 યોજાયું.
જેમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત નવસારી જિલ્લાની 71 માધ્યમિક શાળામાં વોકેશનલ એજ્યુકેશનના વિષયો કાર્યરત છે જેની આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા 92 કૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રદર્શનમાં નવસારીના આદરણીય કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી ટંડેલ સહિત અધિકારીઓ, અગ્રણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું.